Get Mystery Box with random crypto!

#PART-3........ જૂન-1590માં અઝીઝ કોકાએ ગુજરાત આવીને પદભાર સ | Edu_World🌍™

#PART-3........


જૂન-1590માં અઝીઝ કોકાએ ગુજરાત આવીને પદભાર સંભાળી લીધો. જૂનાગઢના શાસક અમીન ખાન ઘોરી તથા નવાનગરના શાસકોએ મુગલ શાસકોએ સારાસારી રાખીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખ્યું હતું, બીજી તરફ તેઓ મુઝ્ઝફરશાહને પણ મદદ કરી રહ્યા હતા, આ વાત મુઘલ અધિકારીઓથી છૂપી રહી ન હતી.

'ગુજરાતનો ઇતિહાસ - મુઘલકાળ'માં (સંપાદક રસિકલાલ પરીખ તથા હરિપ્રસાદ શાસ્ત્રી, પૃષ્ઠ ક્રમાંક-48) પર લખે છે: અઝીઝ કોકાની ગણતરી મુઝ્ઝફરશાહ તથા તેમને મદદ કરી રહેલા અન્ય સાથીઓને નમાવીને કાયમી શાંતિ સ્થાપવાની હતી. તેઓ સૌરાષ્ટ્રને મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ કરી દેવા માગતા હતા.

બીજી બાજુ, સુલતાન મુઝ્ઝફરશાહને પોતાના સમર્થકો ઉપરાંત, જામનગરના જામ, જૂનાગઢના દોલત ખાન, રાયજાદા રા ખેંગાર તથા લોમા ખુમાણની સેના મળી હતી. આ સિવાય દ્વારકાની (કેટલાંક વિવરણો પ્રમાણે હિંગળાજ મંદિરની) જાત્રાએ જઈ રહેલા 1500 જેટલા અતીત બાવાની ટુકડી પણ જામસાહેબની પડખે રહીને લડ્યા હતા. આમ મળીને તેમની કુલ સંખ્યા લગભગ 30 હજાર જેટલી હતી, જ્યારે મુઘલ લશ્કર દસ હજાર આસપાસ હતું.

ચોમાસાને લીધે મુઘલ સૈનિકો માટે સ્થિતિ પ્રતિકૂળ હતી, તેમના માટે ખાવા-પીવાની ચીજવસ્તુઓ મળવી મુશ્કેલ બની રહી હતી. બીજી બાજુ, સંખ્યામાં વધુ હોવા છતાં સમવાયી દળો માટે આવી કોઈ સમસ્યા ન હતી.

શરૂઆતમાં સમાધાનના પ્રયાસો થયા, પરંતુ તેમાં સફળતા ન મળી. અંતે ભૂચર મોરી ખાતે 17 જુલાઈ, 1591ના દિવસે બંને સેનાઓ વચ્ચે સામ-સામે ટક્કર થઈ. ભૂચર મોરીએ જામનગર જિલ્લાના ધ્રોળ પાસે આવેલી જગ્યા છે. જામ સતાજી સાથેના જૂના મતભેદને કારણે પોતાના વિસ્તારમાં યુદ્ધ લડાતું હોવા છતાં ધ્રોળના ભાયાતો તેમની પડખે રહીને લડ્યા ન હતા.


TELEGRAM-
https://t.me/Edu_World