શીર્ષક: લખાયું અર્થ વિનાનું એક પાનું લખાયું, જીવતરમા એ તો ખોટ | શબ્દ ઉત્સવ
શીર્ષક: લખાયું
અર્થ વિનાનું એક પાનું લખાયું,
જીવતરમા એ તો ખોટું લખાયું.
વસવસો છે ભારી પણ થાય શું?
આંસુ એક નયનમાં મોટું લખાયું.
ભાંગી પડે પાર્થ જેવો પણ સમયે,
કુરુક્ષેત્ર સમાન એક ટાણું લખાયું.
ઘાવો રુઝાતાં નથી ભૂતકાળ તણાં,
માટે જ રુડાં હાલમાં કાણું લખાયું.
અઢળક પસ્તાવો હૈયે ઉભરે કાયમ,
છતાં સામે ખરડાયેલું વાણું લખાયું.
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા"નીલ "
રાણપર