2022-02-10 20:48:39
ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ
-----------++---------_-----------------
રચાના,હેતું,કાયૅરીતી, માળખું, રજીસ્ટ્રેશન-
--++----------+++------++-+-------++---
શૈક્ષણિક-સાંસ્કૃતિક મૂલ્યોના જતનની ચિંતા કરનાર, શિક્ષણ હિતેચ્છુ શ્રી તખુભાઈ સાંડસુર હાલની પરિસ્થિતિમાં શું કરી શકીએ ?? એ અંગેના વિચારોને કોઈ નક્કર કાર્ય પદ્ધતિનું સ્વરુપ આપવા ઈચ્છતા હતા.આ વાત એમણે" એકલવીર-શિક્ષક ભાવ વંદના"માં મૂકી.તા.2-3 ફેબ્રુઆરી એમ બે દિવસની ઓનલાઇન ચર્ચા પછી એ વિચારને મૂર્તિમંત કરવા આ પ્રકારે વિચારાયું.
**ભૂમિકા...શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતો અને મૂલ્યોના જતન અંગે નિષ્કર્ષ તારવી,કંઈક રચનાત્મક-સકારાત્મક કામની ખેવના.શિક્ષણ સુધારણાનો અભિગમ રાખી એક મંચ બનાવવું.જેના માધ્યમથી ઉદ્દેશ્યની પૂર્તિ માટે કાર્ય કરવું.
** નામકરણ..." ગુજરાત શૈક્ષણિક-સાંસ્કૃતિક મંચ" નામ રાખવું.
** ઉદ્દેશ્યના હેતુઓ.
1.ગુજરાત ભરમાંથી સક્રિય,કર્મઠ,નાવિન્યતા માટે ઉત્સાહી,શિક્ષણમાં સમર્પિત શિક્ષકોને પ્રોત્સાહન આપવું.એમના કાર્યને જનસમાજ આગળ પ્રસ્તુત કરવું.એમના અનુભવોનો લાભ અન્યને મળે એ અંગે કાર્ય.
2.સાહિત્ય સંવર્ધન,નવોદિતોને તક-પ્રોત્સાહન પ્લેટફોર્મ આપવું.
3.શૈક્ષણિક-સહશૈક્ષણિક કાર્ય અને બદલાતા યુગ અનુસાર અભ્યાસક્રમની સમીક્ષા,સૂચન,કાર્ય પદ્ધતિનું સમાયોજન કરવું.
4.શિક્ષણને લગતા સકારાત્મક પ્રશ્નોની યોગ્ય સ્તર સુધી રજૂઆતો,નિરાકરણ માટેનું કાર્ય કરવું.
5.અભ્યાસક્રમ કે મૂલ્ય શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતોની ગોષ્ઠિ-ઓપ વર્ગ કે મિલન બેઠક ગોઠવવી.
6.શિક્ષણ,સાહિત્ય,સાંસ્કૃતિક બાબતો ના વિચારોનું મંચ માધ્યમથી આયોજન કરવું.
7. શાળા-વિસ્તાર-ઝોનની વૈવિધ્યસભર બાબતો-શિક્ષણ પરંપરાઓને ઉજાગર કરવી.
** કાર્યક્ષેત્ર....જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાના સંકલન થકી સમગ્ર ગુજરાત રાજ્ય.
*ફી- રજીસ્ટ્રેશન કે સભ્યપદ માટે કોઈ ફી નહીં હોય
*મિટીંગ-બેઠક -દરવર્ષે બે બૈઠકોનુ જે સંસ્થા ગુ.શૈ.સા.મંચને નિમંત્રિત કરવામાં આવે ત્યાં આવી બેઠકો યોજવાશે.
*આગામી પ્રથમ બેઠક બે મહિનામાં યોજવા આયોજન છે.
*સંચાલન માળખું-સંસ્થા કોઈ હોદ્દેદારો ની નિમણુક નહીં કરે પણ દરેક આયોજન માટે સમિતિઓ,સંયોજકો,ઝોન સંયોજકો, જિલ્લા સંયોજકો ની નિયુક્તિ તથા સંચાલન સમિતિ ૧૫ સભ્યોની નિમણુંક કરશે.આ વ્યવસ્થા સર્વાનુમતે કરવામાં આવશે કદી કોઈ ચુંટણી ને અવકાશ રહેશે નહીં.
*રજિસ્ટ્રેશન -આગામી સમયમાં ગુગલ ફોર્મ કે વેબસાઈટથી ઓનલાઇન રજીસ્ટ્રેશન હાથ ધરવામાં આવશે.
*સોસિયલ મીડિયા પ્રભારી- ફેસબુક કે અન્ય પ્લેટફોર્મ માટે કોઓર્ડિનેટ્સ નીમી સંસ્થાને વિસ્તારી તેની પ્રવૃત્તિઓ જનસામાન્ય સુધી પહોંચતી કરાશે.
*આચાર સંહિતા-
કોઇપણ ચુંટણીમાં આ મંચ ઝુકાવશે નહીં.પંરતુ અન્ય સંગઠનો સાથે કે વ્યક્તિગત રીતે કોઈ ચુંટણી સ્પધૉમાં ભાગ લે તો તેમાં મંચને કોઈ પણ હરકત નથી.યોજાતાં કાયૅક્મમા સૌ ભાગ લે તે ઈચ્છનીય રહેશે.
* વિશેષ ઉપક્રમ- દરેક બેઠકમાં એક શિક્ષણસમર્પિત મહાનુભાવને વિશેષ સન્માનિત કરાશે.તેની સંખ્યામાં વધારો ધટાડો સંચાલન સમિતિ કરશે.
* સભ્યો ..
કોઈ પણ વ્યક્તિ શિક્ષણ,સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા સૌ કોઈ સભ્ય બની શકશે.
** સંયોજક...સૌની ઈચ્છા અને આગ્રહને માન આપી, એમના બહોળા અનુભવ,વિશાળ જનસંપર્ક-શિક્ષણ સંસ્થાઓ સાથેના સતત સંપર્કનાતે શ્રી તખુભાઈ સાંડસુરને સંયોજક તરીકે જવાબદારી પર નિયુક્ત થયાં.
**સહસંયોજક.શ્રી મહેશભાઈ ઠાકરને જવાબદારી પર નિયુક્ત થયાં.
** આ મંચને સ્વ.શ્રી આલાભાઈની પૂણ્યતિથિએ વિધિવત ઘોષણા કરવામાં આવી.
172 viewsH B Savani, 17:48