🔥 Burn Fat Fast. Discover How! 💪

ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ

Logo of telegram channel gujaratinews — ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ
Logo of telegram channel gujaratinews — ગુજરાતી ન્યૂઝ & કરન્ટ અફેર્સ
Channel address: @gujaratinews
Categories: Uncategorized
Language: English
Subscribers: 154
Description from channel

All Gujarati news at one place

Ratings & Reviews

2.00

2 reviews

Reviews can be left only by registered users. All reviews are moderated by admins.

5 stars

0

4 stars

0

3 stars

0

2 stars

2

1 stars

0


The latest Messages 2

2017-12-01 09:32:28 રાષ્ટ્રીય

ઓરિસ્સા સરકારે ૧૯ જીલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે લગભગ ૩૬૫ કરોડ રૂપિયા જાહેર કર્યા.

ઓડીસા સરકારે ૧૯ જિલ્લાઓમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે ૩૬૫ કરોડ રૂપિયા જાહેર કરેલ છે.

રાજ્ય આપદા રાહતકોશમાંથી આપાયેલ આ રકમ ખેડૂતોને ખેતીની સબસીડી સ્વરૂપે આપવામાં આવશે.

જેઓનો પાક આ મહિનાના ત્રીજા સપ્તાહમાં (નેવેમ્બર) દરમિયાન ખરાબ થઇ ગયો છે તેને પ્રાધાન્ય અપાશે.

કમોસમી વરસાદથી ૧૪૭૨૦ ગામોની લગભગ ચાર લાખ હેક્ટર ઉપજાઉ જમીન પ્રભાવિત થયેલ છે.

વિશેષ રાહત આયુક્ત બી.પી.સેઠીના જણાવ્યા મુજબ ખેડૂતોને બે હેક્ટર જમીન માટે નિયમ પ્રમાણે સબસીડી આપવામાં આવશે.

નવીન પટ્ટનાયક ઓડીશાના હાલના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

હાલ ઓડીસાના રાજ્યપાલ તરીકે એસ.સી.જમીર સેવા આપી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય

સ્કીલ ઇન્ડિયાએ એયરબીએનબી સાથે સમજુતી કરી.

કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયની શાખા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમેં ભારતમાં આતિથ્ય જગતના ઉધમિયોને કૌશલ્ય પ્રશિક્ષણ પ્રદાન કરવા વિશ્વની પ્રખ્યાત કંપની એયર એન.બી. તથા ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી સેક્ટર સ્કીલ કાઉન્સલ સાથે ત્રિપક્ષીય કરાર કરેલ છે.

યુ.એસ.આધારિતએયર બીએનબી એક ઓનલાઈન બજાર અને આતિથ્ય સેવા છે.

રમત-જગત

મીરાંબાઈ ચાનુંએ વિશ્વ વેઇટલીફટીંગ સ્પર્ધામાં સુવર્ણ પદક જીત્યો.

ભારતની વેઇટ લિફ્ટર મીરાંબાઈ ચાનુએ સુવર્ણ પદક જીતીને બે દશકાથી વધારે સમય બાદ સુવર્ણપદક જીતનાર પ્રથમ પદક જીતનાર પ્રથમ ભારતીય છે.

ચાનુંએ ૪૮ કિલો વર્ગમાં ૧૯૪ કિલો વજન ઉઠાવીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવેલ છે.

ચાનું આ પહેલા ઓલિમ્પિકમાં કાંસ્યપદક વિજેતા રહી ચુક્યા છે.

ભારતીય શટલર કીતામ્બી શ્રીકાંત અને પી.વી.સિંધુને ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર કાર્યક્રમમાં વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રીકાંતે આ વર્ષે ચાર સુપર સીરીઝ ખિતાબ પોતાના નામે કરેલ છે.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બીઝનેસમેન સંજીવ ગોયનકા દ્વારા દેશમાં રમતોના વિકાસ માટે સમર્થન આપવા માટે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સની શરૂઆત કરવામાં આવી છે.

આઈ.ઓ.એ એ ભારતીય બોક્સિંગ મહાસંઘને માન્યતા આપી.

ભારતીય ઓલિમ્પિક સંઘે ઇન્ડિયન એમેચ્યોર બોક્સિંગ મહાસંઘને માન્યતા રદ્દ કરીને ભારતીય બોક્સિંગ મહાસંઘને માન્યતા આપી છે.

એ.આઈ.બી.એ. ની સ્થાપના વર્ષ ૧૯૪૬ માં કરવામાં આવી હતી.

એ.આઈ.બી.એ..નું મુખ્ય કાર્યાલય સ્વીત્ઝર્લેન્ડના લોજેનમાં આવેલ છે.

અન્ય

મણિપુરમાં સૌભાગ્ય સ્કીમ શરુ કરવામાં આવી.

પ્રધાનમંત્રી સહજ બીજલી હર ઘર યોજના (સૌભાગ્ય) નું મણીપુરમાં કેન્દ્રીય વીજળી અને નવીન તથા નવીનીકરણીય ઉર્જા રાજ્યમંત્રી આર.કે સિંહ અને મણીપુરના મુખ્યમંત્રી શ્રી એન.બીરેન સિંહ દ્વારા આરંભ કરવામાં આવેલ.

મણીપુરના લગભગ ૧.૭૫ લાખ પરિવારોને આ સ્કીમ અંતર્ગત આવરી લેવામાં આવશે.

આ પરિવારોમાં ૧.૬૨ લાખ લોકો ગ્રામીણ તથા ૦.૧૩ લાખ શહેરી પરિવારો છે.
1.0K views06:32
Open / Comment
2017-11-27 12:43:44 List Of Money Making Bots.
click any of them and start Earning.
Business Cash Bot
‌ Cash Robots
‌ Cash Robots v2
‌ Get Free BitCoin
‌ Dino Park Game
‌ Gem & Bitcoin
‌ Magic Bitcoin Farm
Cash FarmBot
Pirate Bay
Bitcoin Miner
CosmoCashBot
Animal Farm
HouseMoney
841 views09:43
Open / Comment
2017-11-27 12:43:44 Bitcoin ($ 9,500) is now the world's 30th largest currency. Capitalization is higher than MasterCard.
Start Earning Bitcoins with following Bots
756 views09:43
Open / Comment
2017-11-26 15:02:13 રાષ્ટ્રીય

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ રક્ષા અભ્યાસ (ડી.એ.એન.એક્સ.-૨૦૧૭) સંપન્ન.

અંદામાન અને નિકોબારની આગેવાનીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ રક્ષા અભ્યાસનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું.

પાંચ દિવસીય આ અભ્યાસ ૨૦ થી ૨૪ નવેમ્બર ૨૦૧૭ સુધી ચાલેલ.

આ અભ્યાસનો મુખ્ય ઉદેશ્ય તમામ પ્રકારના દળોની પ્રક્રિયાઓ અને દ્રીલોની પ્રેક્ટીસ કરવી તથા સુદ્રઢીકરણ કરવાનો રહેલ.

આ અભ્યાસની વિશેષતાઓમાં ફાઈટર ઓપરેશન,સમુદ્રોમાં નાઈટ,પેરા જંપ, હેલીકોપ્ટરથી સરકતા નીચે આવવા તથા જહાજો દ્વારા દળોની પાણી અને જમીન પર લીડીંગ અભ્યાસ સામેલ છે.

આંતરરાષ્ટ્રીય

ડબલ્યુ.એચ.ઓ. એ મહિલા હિંસા વિરુદ્ધ નવી નિયમાવલી જાહેર કરી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબલ્યું.એચ.ઓ.એ ૨૫ નવેમ્બર ૨૦૧૭ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા ઉન્મૂલન દિવસના રૂપમાં ઉજવેલ.

આ અવસર પર સ્વાસ્થ્ય પ્રબંધકો અને નીતિ નિર્માતાઓ માટે નવી નિયમાવલી જાહેર કરાઈ છે.

આ નિયમાવલીથી મહિલાઓના વિરુદ્ધ હિંસામાં તેમના યૌન સહભાગીઓ અને બિન યૌન સહભાગી દ્વારા કરવામાં આવેલ શારીરિક,યૌન અને મનોવૈજ્ઞાનિક હિંસા સામેલ છે.

આ નિયમાવલીનો ઉદેશ્ય મહિલાઓને ઉચ્ચ ગુણવત્તા વાળી સન્માનપૂર્ણ દેખરેખ ઉપલબ્ધ બનાવવાનો છે.

ડબલ્યુ.એચ.ઓ. ના સર્વે અનુસાર વિશ્વભરમાં પ્રયેક ત્રણમાંથી એક મહિલા શારીરિક અથવા યૌન હિંસાનો સામનો કરે છે.

ડાઉન ટુ અર્થ પત્રિકાએ ઓઝોન પુરસ્કાર જીત્યો.

મોન્ટ્રીયલ પ્રોટોકોલની ૩૦ મી વર્ષગાંઠના અવસર પર પત્રિકા ડાઉન ટુ અર્થ દ્વારા ઓઝોન પુરસ્કાર જીતવામાં આવેલ છે.

આ સમારોહ કેનેડાના મોન્ટ્રીયલ સ્થિત આંતરરાષ્ટ્રીય નાગરિક ઉદ્દયન સંગઠનના મુખ્યાલયમાં આયોજિત કરવામાં આવેલ.

પત્રિકા ડાઉન ટુ અર્થને આ પુરસ્કાર ઓઝોનના પડને લઈને સર્વશ્રેષ્ઠ મીડિયા કવરેઝ હેતુ પ્રદાન કરવામાં આવેલ.

પત્રિકા ડાઉન ટુ અર્થે ૨૫ વર્ષ સુધી ઓઝોન પડ મામલે મીડિયા કવરેઝ કરેલ.

ઓઝોન પુરસ્કાર ઓઝોન સચિવાલય દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

રમત-જગત

લીયોનેલ મેસ્સીએ ચોથો યુરોપીય ગોલ્ડન શું પુરસ્કાર જીત્યો.

સ્પેનના બાર્સિલોનાના એક પુરસ્કાર સમારોહમાં દિગ્ગજ ફૂટબોલર લીયોનેલ મૈસીને ચોથીવાર યુરોપીય ગોલ્ડન શું એવોર્ડથી નવાજવામાં આવેલ છે.

મૈસીને આ એવોર્ડ વર્ષ ૨૦૧૬-૧૭ માં લા લીગા માં સર્વાધિક ૩૭ ગોલ કરવા માટે દેવામાં આવેલ છે.

લીયોનલ મેસ્સી આર્જેન્ટીનાના એક પ્રખ્યાત ફૂટબોલર છે.

અન્ય

અન્ડર-૨૩ સીનીયર વિશ્વ કુશ્તી પ્રતિયોગીતામાં રીતુ ફોગાટે રજત પદક જીત્યો.

પોલેન્ડમાં ચાલી રહેલા અન્ડર-૨૩ સીનીયર વિશ્વ કુશ્તી પ્રતિયોગિતામાં ભારતીય મહિલા પહેલવાન રીતુ ફોગાટે ૪૮ કિલોગ્રામ ભાર વર્ગમાં ભારત માટે રજત પદક જીતેલ છે.

૨૩ વર્ષીય રીતુ ફોગાટ તુર્કીશની પહેલવાન ડેમીરહનથી હારી ગયેલા છે.અને તને રજત પદકથી સંતોષ માનવો પડેલ છે.

સેમી ફાઈનલમાં રીતુ ચીની પહેલવાન જિયાંગ ઝૂને ૪-૩ થી હરાવીને ફાઈનલમાં પહોંચ્યા હતા.
819 views12:02
Open / Comment
2017-11-25 15:06:24 રાષ્ટ્રીય

સરકાર ૧૧૫ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્ર સ્થાપિત કરશે.

કેન્દ્રએ ગ્રામીણ મહિલાઓ સુધી પહોંચવા અને કૌશલ વિકાસ રોજગાર,ડીઝીટલ સાક્ષરતા,સ્વાસ્થ્ય અને પોષણને સુગમ બનાવવા માટે નવી યોજનાના માધ્યમથી દેશના ૧૧૫ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી મહિલા શક્તિ કેન્દ્રને સ્થાપવાની મંજુરી આપી દેવામાં આવી છે.

સરકારે દેશમાં ૧૬૧ જિલ્લાઓમાંથી ૬૪૦ જીલ્લાઓ સુધી બેટી બચાવો,બેટી પઢાવો યોજનાનો વિસ્તાર કરેલ છે.

આ યોજના સાથે સરકારે યૌન શોષણ અને હિંસા પીડિત લોકો માટે ૧૫૦ થી વધારે વન સ્ટોપ સેન્ટર અને સાથે અન્ય સાત કાર્યક્રમોને સ્વીકૃતિ પ્રદાન કરેલ છે.

આ યોજનાઓ રાષ્ટ્રીય મહિલા સશક્તિકરણ મિશનનો હિસ્સો છે.

એચ. આર. ડી. મંત્રાલયે સંવિધાન દિવસ પર ડીઝીટલ હસ્તાક્ષર અભિયાન લોન્ચ કર્યું.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સંવિધાન દિવસ પર ભારતીય સંવિધાનમાં આસ્થાની પુષ્ટી કરવા માટે તથા જાગૃતિ પેદા કરવા માટે આ અભિયાન લોન્ચ કરેલ છે.

એક ટ્વીટમાં લિંક આપતા શ્રી જાવડેકરે કહ્યું કે લોકો ઓનલાઈન ફોર્મ ભરીને આ અભિયાનમાં સામેલ થઇ શકે છે.

૨૬ નવેમ્બરને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સંસદના શિયાળુ સત્ર ૧૫ ડિસેમ્બર થી ૫ જાન્યુઆરી સુધી મળશે.

સંસદનું શિયાળુ સત્ર આવતા મહીને ૧૫ થી ૫ જાન્યુઆરી સુધી આયોજિત કરવામાં આવશે.

સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા વાળી સંસદીય કાર્ય મંત્રાલયની કેબીનેટ કમિટીની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાએ આ વર્ષે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર ફિલ્મ એન્ડ ટેલીવિઝન અને ઓડિયો-વિજ્યુઅલ કોમ્યુનીકેશન યુનેસ્કો ગાંધી મેડલ માટે નવ ફિલ્મ નામાંકિત કરી.

આ નામાંકિત કરેલ નવ ફિલ્મોમાંથી પાંચ ભારતીય ફિલ્મ છે.

પુરસ્કાર માટે નામાંકિત ભારતીય ફિલ્મોમાં ક્ષિતિજ એ હોરીજન(મરાઠી ), મનુસંગડા (તમિલ), પુરના (હિન્દી), રેલ્વે ચિલ્ડ્રન (કન્નડ) અને ટેક ઓફ (મલયાલમ) નો સમાવેશ થાય છે.

વિદેશી ફિલ્મોમાં અમોક (પોલેન્ડ) ખિબુલા (જર્મની-ફ્રાંસ) જાર્જિયા સહ નિર્માણ, ધ લાસ્ટ પેન્ટિંગ (તાઈવાન) અને અન્ય ફિલ્મોનો સમાવેશ થાય છે.

પદ્માવતી ફિલ્મને બ્રિટીશ સેન્સર બોર્ડ દ્વારા મંજુરી આપવામાં આવી.

સંજય લીલા ભણશાળી દ્વારા નિર્દેશિત બહુચર્ચિત ફિલ્મને ભારતમાં બતાવવા પર પરવાનગી નથી મળી, તેને બ્રિટનમાં બતાવવા પર પરમીશન મળી ગયેલ છે.

બ્રિટીશ સેન્સર બોર્ડે કોઇપણ પ્રકારના કાપકૂટ વગર આ ફિલ્મને પ્રદર્શિત કરવાની મંજુરી આપી દીધેલ છે.

જોકે આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ મંજુરી આપશે ત્યારબાદ જ ત્યાં પ્રદર્શિત કરાશે.

અન્ય

ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં વાપરશે.

ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં વાપરશે.

તેમના કહેવા અનુસાર ભારતી પરિવાર પોતાની કુલ સંપતિના ૧૦ ટકા એટલે કે ૭૦૦૦ કરોડ રૂપિયા ચેરીટીમાં ખર્ચશે.

આ પૈસાથી તેઓ ગરીબ અને યુવાઓ માટે સત્ય ભારતી યુનીવર્સીટી સ્થાપિત કરશે.

કેન્દ્ર સરકારે આઠ મહાનગરોમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર યોજના શરુ કરી.

કેન્દ્ર સરકારે દેશના આઠ મહાનગરોમાં મહિલાઓ માટે સુરક્ષિત શહેર યોજના તૈયાર કરવાની પ્રક્રિયા શરુ કરી દીધેલ છે.

કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતામાં ૨૨ નવેમ્બર ૨૦૧૭ ના રોજ સંચાલન સમિતિની બેઠકમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ અને નાગરિક પ્રસાશનના ઉપાયોની પ્રગતિ અને તેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે.

આ યોજના દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નાઈ, બેંગલુરુ, અમદાવાદ, લખનૌ અને હૈદરાબાદમાં લાગુ કરવામાં આવશે.
661 views12:06
Open / Comment
2017-11-24 16:12:35 રાષ્ટ્રીય

બ્રિકસ દેશોના ૨૦ મુખ્ય વિશ્વવિદ્યાલયોમાં ચાર ભારતીય સામેલ.

બ્રિકસ દેશોમાં ભારત,ચીન, રશિયા, બ્રાઝીલ, અને દક્ષિણ આફ્રિકા નો સમાવેશ થાય છે.

આ દેશોના મુખ્ય ૨૦ વિદ્યાલયોમાં ચાર ભારતીય સંસ્થાઓ પણ સામેલ છે.

ક્યુએસ (ક્વાક્યુંરેલી સાયમંડ્સ) દ્વારા ૩૦૦ થી વધારે વિવિધ રેન્કિંગ સૂચી જાહેર કરેલ છે.

ભારતીય પ્રધ્યોગિકી સંસ્થાન આઈ.આઈ.ટી. બોમ્બેને આ રેન્કમાં નવમું સ્થાન મળેલ છે.

આઈ.આઈ.એસ.સી. બેંગલુરુને આ રેંકમાં દસમું સ્થાન હાંસલ થયેલ છે.

ટોપ ટેનમાં આઠ સંસ્થાઓ ચીન દેશની છે, જયારે ત્યારબાદ ભારતનું સ્થાન છે.

કેન્દ્રીય મંત્રી મંડળે આતંકવાદ સામે લડવા માટેના સહયોગ માટે ભારત અને રશિયા વચ્ચે સમજુતી કરાર થયા.

કેન્દ્રીય મંત્રી મંડળે હાલમાં આતંકવાદના તમામ પ્રારુપો અને સંગઠિત અપરાધથી લડવા માટે ભારત અને રશિયા વચ્ચે સમજુતી કરાર થયા છે.

આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર વચ્ચે ભારતીય પ્રતિનિધિ મંડળ રશિયાના પ્રવાસે જશે, ત્યારે ત્યાં કરાર થશે.

ભારતીય નેવીમાં પ્રથમવાર મહિલા પાયલટ સામેલ કરાયા.
ભારતીય નૌસેનામાં પ્રથમવાર મહિલાઓને સ્થાયી કમીશન દ્વારા પાયલટના સ્તર પર સામેલ કરવામાં આવ્યા છે.

કેરલ સ્થિત ઇન્ડિયન નેવલ એકડેમીની પાસીંગ આઉટ પરેડમાં સામેલ શુભાંગી સ્વરૂપને નેવીના પહેલા મહિલા પાયલટનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે.

આ ઉપરાંત આસ્થા સહગલ,રૂપા એ. તથા શક્તિમાયા એસ.ને આર્માંમેંટ ઇન્પેક્ષન બ્રાંચમાં સામેલ કરવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય

શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંઘ ભારતની યાત્રા પર.

શ્રીલંકાના પ્રધાનમંત્રી વિક્રમસિંહ દ્વિપક્ષીય સંબધોને મજબુત બનાવવા માટે ભારતના ચાર દિવસની યાત્રા પર છે.

આ સમયમાં તેઓ દેશના પ્રધાનમંત્રી સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરશે.

આ પહેલા વિક્રમસિંઘે સાઈબર સ્પેસ પર પાંચમાં વૈશ્વિક સંમેલનના ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા.

શ્રીલંકાના રષ્ટ્રપતિ મૈથીપાલ સિરીસેના ફરજ બજાવી રહ્યા છે.

રમત-જગત

ગીગર દીમોત્રોવે બ્રિટનના લંડનમાં એટીપી ફાઈનલનો ખિતાબ જીત્યો.

ગીગર દીમિત્રોવે ડેવિડ ગોફીનને હરાવીને એટીપી ફાઈનલનો ખિતાબ જીત્યો છે.

દીમિત્રોવે ગત ઓગસ્ટમાં સીનસીનાટીના પોતાનો પ્રથમ માસ્ટર્સ ખિતાબ જીતેલ.

અન્ય

ભારત અને રશિયાએ ફ્લાઈટ કૃ ના વિઝામુક્ત પ્રવેશ માટે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને રશિયા બંને દેશો વચ્ચે ચાર્ટડ અને અનુસુચિત ઉડાનોના ચાલાક દળના વિઝા મુક્ત પ્રવેશ માટે સામાન્ય નિયમો લાગુ કરવા પર સહમત થયેલ છે.

આ સમજુતી નિર્ધારિત એયર લાઈન ના વિમાન ચાલાક દળો સાથે પરસ્પર આધાર પર સંબીધિત ક્ષેત્રમાં વિશેષ ઉડાનોના સંચાલન માટે અન્ય વિમાની કંપનીઓના વિઝા મુક્ત પ્રવેશ ,અને રોકાવા અને નિકાસમાં મદદ કરશે.

રશિયાની રાજધાની મોસ્કો છે, અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે.

ભૌગોલિક પ્રદેશો મધ્ય ગુજરાત
558 views13:12
Open / Comment
2017-11-23 14:09:38 List Of Money Making Bots.
click any of them and start Earning.
Business Cash Bot
‌ Cash Robots
‌ Cash Robots v2
‌ Get Free BitCoin
‌ Dino Park Game
‌ Gem & Bitcoin
‌ Magic Bitcoin Farm
Cash FarmBot
Pirate Bay
Bitcoin Miner
CosmoCashBot
Animal Farm
HouseMoney
450 views11:09
Open / Comment
2017-11-23 12:53:28 રાષ્ટ્રીય

કેન્દ્રીય મંત્રીમંડળે પંદરમાં નાણા આયોગની સ્થાપનાને મંજુરી આપી.

કેન્દ્રીય મંત્રીમંડળે ૧૫ માં નાણા આયોગને સ્થાપવાની મંજુરી આપી દીધેલ છે.

આ નાણા આયોગ દેશના કર માળખાના સંસાધનનોનું મૂલ્યાંકન કરશે.

આ ઉપરાંત રાજ્યો વચ્ચે હસ્તાંતરણ માટે એક ફોર્મ્યુલા અને રૂપરેખા પણ આપશે.

આ રૂપરેખાને ૧ એપ્રિલ, ૨૦૨૦ સુધીમાં લાગુ કરવામાં આવશે.

સંવિધાનના અનુચ્છેદ ૨૮૦ અનુસાર આયોગને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરા અને શુદ્ધ આવક વિતરણ પર રૂપરેખા ઘડવાની જરૂરિયાત છે.

સુખોઈ વિમાનથી બ્રમ્હોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

બ્રમ્હોસ વિશ્વના સૌથી તેજ સુપર સેનિક ક્રુજ મિસાઈલમાનું એક ગણાય છે.

ભારતીય વાયુસેનાના ફ્રન્ટલાઈન લડાકુ વિમાન સુખોઈ-૩૦ એમ.કે.આઈ.થી બંગાળની ખાડીમાં સમુદ્રમાં લક્ષ્યની વિરુદ્ધ પ્રથમવાર સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે.

આ સુખોઈની સફળતાથી ભારતીય વાયુસેનાની ક્ષમતા વધશે.

આંતરરાષ્ટ્રીય

ભારત વિશ્વનો બીજા નંબરનો માછલી ઉત્પાદક દેશ.
તમામ પ્રકારના મત્સ્ય પાલન (કૈપ્ચર અને કલ્ચર) ના ઉત્પાદનોને મેળવીને ૨૦૧૬-૧૭ માં દેશમાં કુલ માછલીનું ઉત્પાદન ૧૧.૪૧ મીલીયન ટન થવા પામેલ.

દેશમાં દોઢ કરોડ લોકો પોતાની આજીવિકા માટે માછીમારી ક્ષેત્રમાં કાર્યરત છે.

કેન્દ્રીય કૃષિમંત્રી રાધા મોહન સિંહે વિશ્વ માત્સ્યીકી દિવસ પર હાજરી આપેલ.

ચીન વિશ્વનો સૌર્હી મોટા માછલી ઉત્પાદન કરનાર દેશ છે.

મત્સ્ય ક્ષેત્રમાં થયેલ ક્રાંતિ સમુદ્ર સાથે સંકળાયેલ હોય તેથી તેને નીલક્રાંતિ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેએ રાજીનામું આપ્યું.

ઝિમ્બાબ્વેની સતા પર ૩૭ વર્ષથી કાબિજ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે એ આખરે બંધારણની કલમ ૯૬ અનુસાર ઔપચારિક મુદ્દા પર તાત્કાલિક પ્રભાવથી પોતાનું રાજીનામું આપેલ છે.

સૈન્યના તખ્તા પલટ બાદ પહેલા તેણે રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો હતો.

૧૯૮૦માં ઝિમ્બાબ્વેની સ્વતંત્રતા બાદ ત્યાં સતા પર રહેનાર મુગાબેને પદ પરથી હટાવવા માટે સંસદોએ મહાભિયોગ ચલાવવા માટે બેઠક પણ યોજી હતી.

રમત-જગત

પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવોત્નાનું અવસાન.

૧૯૯૮ માં ચેક ટેનીસ ખેલાડી તથા ડબલ અને મિક્સ ડબલ્સમાં ૧૬ વાર ગ્રેંડ સ્લેમ વિજેતા જાના નોવોત્નાનું હાલમાં અવસાન થયેલ છે.

તેણી કેન્સરની બીમારીથી પીડાતા હતા, માત્ર ૪૯ વર્ષની વયે તેનું અવસાન થયેલ છે.

અન્ય

નાગાલેંડ,અંદમાન નિકોબાર અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ તમામે ઉદય યોજના અંતર્ગત સરકાર સાથે સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા.

UDAY (ઉદય)નું પુરુનામ થાય છે, ઉજ્જવળ ડિસ્કોમ ઇન્શ્યોરન્સ યોજના.

ઉદય યોજનામાં સામેલ થનાર પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ બનેલ.

હાલ ઉદય યોજનામાં ૨૭ રાજ્યો અને ૪ કેન્દ્રશાસિત પ્રદેશો સામેલ છે.
504 views09:53
Open / Comment
2017-11-21 14:16:50 રાષ્ટ્રીય

આનંદ રાજેશ્વર બાયવારે સેબીના કાર્યકારી નિર્દેશકના રૂપમાં પદભાર સંભાળ્યો.

બજાર નિયામક સેબીના અનુસાર આનંદ રાજેશ્વર બાયવારે કાર્યકારી નિર્દેશકના રૂપમાં કાર્યભાર સંભાળેલ છે.

તેઓ વર્ષ ૧૯૯૦ ની બેંચના ભારતીય આઈ એ એસ અધિકારી છે.

શ્રી રાજેશ્વર બાયવારે ૧૬ નવેમ્બર ૨૦૧૭ ના રોજ આ પદભાર સંભાળેલ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયરંજન દાસમુંશીનું અવસાન થયું.

પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયરંજન દાસમુંશીનું ૭૨ વર્ષની વયે અવસાન થયેલ છે.

પ્રિયરંજન દાસમુંશી છેલ્લે વર્ષ ૨૦૦૪ માં રાયગંજ ક્ષેત્રથી લોકસભાના સાંસદ હતા.

આંતરરાષ્ટ્રીય

૪૨ માં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચિકિત્સા સંમેલનનો પ્રારંભ થયો.

નવી દિલ્હીમાં ૪૨ માં આંતરરાષ્ટ્રીય સૈન્ય ચિકિત્સા સંમેલનનો પ્રારંભ થયો છે.

આ સંમેલન ભારતના રક્ષા મંત્રલાય દ્વારા આયોજિત કરવામાં આવેલ.

૪૨ માં આ સંમેલનનો વિષય છે, મિલેટ્રી મેડીસીન ઇન ટ્રાન્જીશન- લૂકિંગ અહેડ.

ઇન્ટરનેશનલ કમિટી ઓફ મિલીટરી મેડીસન (આઈ.સી.સી.એમ.) પર આ ૪૨ મુ સંમેલન આયોજિત કરાયું.

પ્રતિ વ્યક્તિ આવક સાથે કતાર દેશ વિશ્વમાં સૌથી અમીર દેશ.

આઈ.એમ.એફ.ના રીપોર્ટ અનુસાર કતાર દેશ પ્રતિ વ્યક્તિની આવકના હિસાબે આ દેશ વિશ્વમાં પ્રથમ સ્થાન પર રહેલ છે.

કતાર દેશની પ્રતિ વ્યક્તિ જીડીપી ૮૧ લાખ રૂપિયાથી વધારે છે.

પ્રતિ વ્યક્તિ જીડીપી ૩૮ લાખ રૂપિયા સાથે અમેરિકા ૧૨ માં સ્થાન પર છે.

ભારત પ્રતિ વ્યક્તિ જીડીપી ૪ લાખ રૂપિયા સાથે મુખ્ય ૧૦૦ દેશોમાં સામેલ પણ નથી.

આ ક્રમાંકમાં લક્ઝમબર્ગ દેશ બીજા સ્થાને આવે છે, અહી પ્રતિ વ્યક્તિ જીડીપી ૭૦ લાખ રૂપિયા છે.

રમત-જગત

ભારતીય પહેલવાન સંદીપ યાદવ પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો.

ભારતીય પહેલવાન સંદીપ તુલસી યાદવ પર રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવા પર પ્રતિબંધ લાદવામાં આવેલ છે.

તેઓ વર્ષ ૨૦૧૬ ના ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા છે.

નાડા સંસ્થા વાડા અંતર્ગત કામ કરનારી સંસ્થા છે.

અન્ય

ગુવાહાટીમાં મહિલા યુવા વિશ્વ મુક્કેબાજીનો પ્રારંભ થયો.

અસમના ગુવાહાટીમાં મહિલા યુવા વિશ્વ મુક્કેબાજી ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે.

અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ સમારોહનું ઉદ્ઘાટન કરેલ છે.

આ સ્પર્ધાની ફાઈનલ ૨૬ નવેમ્બર ૨૦૧૭ ના રોજ યોજાશે.
480 views11:16
Open / Comment
2017-11-19 11:19:42 રાષ્ટ્રીય

વેંકયા નાયડુએ એ.પી.એગટેક શિખર સંમેલન-૨૦૧૭ નું ઉદ્ઘાટન કર્યું.

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકયા નાયડુએ તટીય શહેર વિશાખાપટ્ટનમમાં ત્રણ દિવસીય એપી.એગટેક સંમેલન ૨૦૧૭ નું ઉદ્ઘાટન કરેલ છે.

આ શિખર સંમેલન આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બીલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન, ભારતીય ઉદ્યોગ પરિસંઘ અને ડાહલબર્ગ સલાહકારો સાથે મળીને આયોજીત કરવામાં આવેલ છે.

ત્રણ દિવસ ચાલનાર આ શિખર સંમેલનમાં રાજ્યમાં કૃષિ પરિવર્તનને લાવવા માટે નવીન વિચારો અને સર્વોતમ ટેકનીક પર ચર્ચા થશે.

હાલના ઉપરાષ્ટ્રપતિ એમ.વૈંક્યા નાયડુનો ઉપરાષ્ટ્રપતિ તરીકેનો ક્રમાંક ૧૩ મો છે.

આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે ઈ.એસ.એલ. નરસિંહ સેવા આપી રહ્યા છે.

નાગાલેંડ વીજળીના બીલો ભરવા માટે પી.ઓ.એસ. લોન્ચ કરનાર ઉત્તર-પૂર્વનું પ્રથમ રાજ્ય બનેલ છે.

નાગાલેંડ વીજળી બીલ ભરવા માટે પ્વાઈટ ઓફ સેલ (પી.ઓ.એસ.) સુવિધાને લોન્ચ કરનાર પૂર્વ ભારતનું પ્રથમ રાજ્ય બનેલ છે.

હવેથી અહી ચુકવણીની પ્રક્રિયા કૈશલેસ બનેલ છે.

કોહિમામાં પી. ઓ. એસ.ની સુવિધા શરુ કરવામાં આવેલ છે.

હવેથી ગ્રાહકો માટે વીજળીનું બીલ ભરવું સરળ થઇ જશે,કારણ કે રોકડ લેવડ –દેવડ ત્યાં કરવાની હોતી નથી.

નાગાલેન્ડના મુખ્યમંત્રી ટી.આર.જેલીયાંગ છે, તથા રાજ્યપાલ પી.બી. આચાર્ય છે.

આંતરરાષ્ટ્રીય

સમગ્ર વિશ્વમાં ટી.બી.રોગની સમાપ્તિ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ મીનીસ્ટ્રીયલ કોન્ફરન્સ રશિયામાં આયોજિત થઇ.

ટી.બી. રોગની સમાપ્તિ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગ્લોબલ મીનીસ્ટ્રીયલ કોન્ફરન્સ રશિયામાં આયોજિત કરાઈ હતી.

આ સંમેલનનો વિષય હતો,નિરંતર વિકાસ કાળમાં ટીબી સમાપ્ત:એક બહુ આયામી પ્રતિક્રિયા.

આ સંમેલન રશિયાના મોસ્કોમાં આયોજીત કરવામાં આવેલ.

હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મહાનિર્દેશક તરીકે અદાનામ ગિબેરેસસ સેવા આપી રહ્યા છે.

આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સંસ્થાનું વડુમથક સ્વીત્ઝરલૅન્ડના જીનીવામાં આવેલ છે.

રમત-જગત

ભારતીય ખેલાડી શગુન ચૌધરીએ રાષ્ટ્રીય મહિલા ટ્રેપ ખિતાબ જીત્યો.

ભારતીય મહિલા ખેલાડી શગુન ચૌધરીએ ૬૧ મી નેશનલ શુટિંગ ચેમ્પિયનશીપની મહિલા ટ્રેપ પ્રતિયોગીતામાં સુવર્ણપદક જીતવામાં સફળ રહ્યા છે.

ઓલિમ્પિક માટે ક્વાલીફાઈ કરનાર પ્રથમ ભારતીય મહિલા ટ્રેપ શુટર શગુને આ પદક ટ્રેપ સ્પર્ધામાં જીતેલ છે.

ફાઈનલમાં તેણીએ પંજાબની રાજેશ્વરી કુમારીને ૪૧-૩૮ થી હરાવેલ છે.

અન્ય

આર્જેન્ટીનામાં આયોજિત કરાયું બાળશ્રમના નિરંતર ઉન્મૂલન માટે ચોથું વૈશ્વિક સંમેલન.

વર્ષ ૧૯૯૭ થી વિશ્વના દેશોએ નીતિઓ અને સારા અભ્યાસો પર જ્ઞાનની બાબતોનું આદાન-પ્રદાન કરેલ.

ઓસ્લો-૧૯૯૭, હેગ-૨૦૧૦,બ્રાઝીલિયા -૨૦૧૩ માં આયોજિત વૈશ્વિક સંમેલનની એક શ્રુંખલામાં બાળશ્રમના ઉન્મુલન માટે પ્રતિબદ્ધ હતા.

આ ચોથું સંમેલન આર્જેન્ટીના સરકાર દ્વારા બ્યુંનસ આયર્સમાં આયોજિત કરવામાં આવ્યું હતું.
395 views08:19
Open / Comment